Skip to main content

Gandevi news : કોળી પટેલ સમાજ બીલીમોરા દ્વારા કીર્તિબહેન પટેલને વિશિષ્ટ સિદ્ધિ માટે સન્માન કરવામાં આવ્યું.

Gandevi news : કોળી પટેલ સમાજ બીલીમોરા દ્વારા કીર્તિબહેન પટેલને વિશિષ્ટ સિદ્ધિ માટે સન્માન કરવામાં આવ્યું. બીલીમોરા, 6 નવેમ્બર 2024: કોળી પટેલ સમાજ બીલીમોરા વિભાગે 28 મો પારિતોષિક સન્માન કાર્યક્રમ યોજ્યો, જેમાં 2024ના વર્ષે 11 વિશિષ્ટ સિદ્ધિવીરો અને 79 તેજસ્વી વિદ્યાર્થીઓને ટ્રોફી અને સાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા. આ પ્રસંગે, શિક્ષણ, સાહિત્ય, અને સામાજિક ક્ષેત્રે નોંધપાત્ર સફળતા મેળવવા બદલ કીર્તિબહેન ઓજસકુમાર પટેલને વિશિષ્ટ એવોર્ડ આપવામાં આવ્યો. તેમણે એક જ વર્ષમાં "ઇન્સ્પાયરીંગ વુમન એવોર્ડ", "રાષ્ટ્રીય નવાચારી ગતિવિધિ એવોર્ડ", "નારી રત્ન એવોર્ડ", અને "શ્રેષ્ઠ લેખિકા/કવયિત્રી સન્માન" પ્રાપ્ત કર્યા. કીર્તિબહેન, જે નવસારી જિલ્લાની 'વાઘરેચ બુનિયાદી મિશ્રશાળા'માં ઉપશિક્ષિકા તરીકે કામ કરે છે, પુજ્ય મોરારીબાપુના હસ્તે ચિત્રકૂટ પારિતોષિક અને તાલુકા શ્રેષ્ઠ શિક્ષક સન્માન  મળેલ છે. આ અવસર પર, કોળીપટેલ સમાજના પ્રમુખશ્રી રમણભાઈ સી. પટેલ અને શિક્ષણ સમિતિના કન્વીનર ધીરજલાલ પટેલે કીર્તિબહેન અને અન્ય પ્રતિભાવાન લોકોને શુભેચ્છાઓ પાઠવી અને સમાજની પ્રગતિ...

Dang news : ‘સ્વચ્છતા હિ સેવા-૨૦૨૪’ અભિયાન અંતર્ગત વઘઈ ખાતે 'સ્વચ્છ ભારત દિવસ’ની ઉજવણી કરાઇ :

 Dang news : ‘સ્વચ્છતા હિ સેવા-૨૦૨૪’ અભિયાન અંતર્ગત વઘઈ  ખાતે 'સ્વચ્છ ભારત દિવસ’ની ઉજવણી કરાઇ :

વિધાનસભાના નાયબ દંડક શ્રી વિજયભાઇ પટેલેના અધ્યક્ષ સ્થાને વઘઇમાં 'સ્વચ્છ ભારત દિવસ'ની ઉજવણી :

(ડાંગ માહિતી બ્યુરો): આહવા: તા: ૨: વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સમગ્ર દેશમા 'સ્વચ્છતા હી સેવા' અભિયાન અંતર્ગત ‘સ્વભાવ સ્વચ્છતા, સંસ્કાર સ્વચ્છતા’ અભિયાનનુ આહવાન કર્યું છે. 

ભારત સરકાર દ્વારા ‘સ્વચ્છ ભારત મિશન’ના ૧૦ વર્ષની ઉજવણીના ભાગરુપે, તારીખ ૨જી ઓક્ટોબર, મહાત્મા ગાંધીજીના જન્મ દિવસને સમગ્ર ભારતમા ‘સ્વચ્છ ભારત દિવસ’ તરીકે ઉજવવાનુ નક્કી કરવામા આવ્યુ છે. 

ત્યારે ડાંગ જિલ્લાના પ્રવેશ દ્વાર એવા વઘઈ ખાતે વિધાનસભાના નાયબ દંડક શ્રી વિજયભાઇ પટેલેના અધ્યક્ષ સ્થાને, સ્વચ્છતા અભિયાન અંતર્ગત વઘઇ ગોળ સર્કલ પાસે સ્વચ્છતા કાર્યક્રમમા શ્રમદાન બાદ, કૃષિ પોલિટેકનીક કોલેજ ખાતે આયોજિત એક કાર્યક્રમમા, રાષ્ટ્રપિતા પૂ.બાપુની ૧૫૫મી જન્મ જયંતિના ‘સ્વચ્છ ભારત દિવસ’ ની ઉજવણી સાથે ‘સ્વચ્છ ભારત મિશન’ના ૧૦ વર્ષની ઉજવણી કરવામા આવી હતી. 

આ પ્રંસગે નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઈ પટેલે જણાવ્યું હતુ કે, રાષ્ટ્રપિતા પૂ.બાપુએ, ભારત દેશને અહિંસાના જોરે આઝાદી અપાવી હતી. ગાંધીજીએ સત્યાગ્રહો કર્યા હતા. સત્યને હંમેશા વળગી રહ્યા. તેઓ દેશવિદેશમા ચાલતા જાતિગત ભેદભાવ સામે લડ્યા, અને ભારતને આઝાદી અપાવી હતી.  

ભારત સરકાર દ્વારા મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિને ‘સ્વચ્છ ભારત દિવસ’ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યુ છે. જે ખુબ જ સાર્થક અને પ્રેરણાદાયક બાબત છે. પૂ. બાપુ સ્વછતાના આગ્રહી હતા, ત્યારે આપણે પણ સ્વછતા બાબતે જાગૃત બનીએ, આપણા જીવનમા સ્વછતા અપનાવી અન્ય લોકોમા જાગૃકતા લાવીએ, અને દરેક લોકોને આ અભિયાનમા સહભાગી બને તે માટે પ્રયત્ન કરીએ. તેમ તેમણે વધુમા જણાવ્યુ હતુ.

દરમિયાન ગ્રામ્ય અને તાલુકા કક્ષાએ રોજે રોજ સ્વછતા સાથે જોડાયેલા કર્મચારીઓને સન્માનિત કરવા સાથે, દરેક લોકોને પોતાનુ ઘર, મહોલ્લા, ગામ, જિલ્લા, રાજ્ય અને દેશને સ્વચ્છ બનાવવા સંકલ્પબદ્ધ બનવા માટે પણ શ્રી વિજયભાઈ પટેલે અનુરોધ કર્યા હતો.  

ડાંગ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી નિર્મળાબેન ગાઇને આ વેળા જણાવ્યુ હતુ કે, પૂ.બાપુ હંમેશા સ્વછતાના આગ્રહી હતા. ત્યારે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીની પ્રેરણાથી 'સ્વચ્છતા હી સેવા' માસની ઉજવણી અંતર્ગત તા.૧૭મી સપ્ટેમ્બર થી ૨જી ઓક્ટોબર-૨૦૨૪ સુધી યોજાયેલ પખવાડીક અભિયાનમા, જિલ્લાના તમામ લોકો જોડાયા હતા. જે બદલ જિલ્લા પ્રમુખશ્રીએ વહિવટી તંત્ર અને લોકોને અભિનંદન પાઠવ્યા હતા. હવે આ અભિયાન તા.૩૧મી ઓક્ટોબર એટલે કે સરદાર જયંતિ/રાષ્ટ્રીય એકતા દિવસ સુધી હાથ ધરવાનુ નક્કી થયુ છે, ત્યારે સૌને પોતાના સ્વભાવ અને સંસ્કારને સ્વચ્છતા સાથે જોડવાની પણ તેમણે હાંકલ કરી હતી.

આ પ્રંસગે કલેક્ટર શ્રી મહેશ પટેલે જણાવ્યું હતુ કે, પૂજ્ય મહાત્મા ગાંધીજીનુ જીવન જ સંદેશ ભર્યું છે. તેઓનુ જીવન જ એક સંદેશ છે. પૂ. બાપુ વિચારોથી પણ સ્વચ્છ હતા. 

સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી પ્રંસગે ફક્ત સ્વચ્છતાની ચર્ચા નહી, પરંતુ સાચા અર્થમા આપણા જીવનામા સ્વછતા અપનાવી, પર્યાવરણને સ્વચ્છ બનાવવાનુ આહવાન, કલેક્ટરશ્રીએ કર્યું હતુ. 

વધુમા પટેલે બીજી ઓક્ટોબર પૂ.બાપુનાંલ જન્મદિને, બાપુની જીવનગાથા વર્ણવી, આજના જ દિવસે ભારતના પૂર્વ વડાપ્રધાન શ્રી લાલ બહાદુર શાસ્ત્રીના જન્મ દિવસને પણ યાદ કરી, તેમનુ સ્મરણ કર્યુ હતુ. 

કાર્યક્રમના ભાગરૂપે સ્વચ્છતા બાબતે શ્રેષ્ઠ કામગીરી કરનાર તાલુકા અને ગ્રામ પંચાયતનુ સન્માન કરતા, આહવા તાલુકાને શ્રેષ્ઠ જનભાગીદારી સાથે સ્વચ્છતા લક્ષિત એકમો ટ્રાન્સ્ફોર્મેશનની શ્રેષ્ઠ કામગીરીનો એવોર્ડ આપવામા આવ્યો હતો. 

જ્યારે સફાઈ મિત્ર શિબિરોની શ્રેષ્ઠ કામગીરી કરનાર વઘઈ તાલુકાને પણ એવોર્ડ આપવામા આવ્યો હતો. જ્યારે ગ્રામ પંચાયતોમા પ્રથમ વઘઈ ગ્રામ પંચાયત, બીજા નંબરે આહવા ગ્રામ પંચાયત, ત્રીજા નંબરે દગડીઆંબા ગ્રામ પંચાયતને સ્વચ્છતાના એવોર્ડ એનાયત કરવામા આવ્યા હતા.

અહીં ઉપસ્થિત સૌ લોકોએ દિલ્હીથી પ્રસારિત વડાપ્રધાન શ્રી નરેદ્રભાઈ મોદીનો જીવંત કાર્યક્રમ પણ નિહાળ્યો હતો. કાર્યક્રમ બાદ 'એક પેડ, માં કે નામ' કાર્યક્રમ અંતર્ગત મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ કરવામા આવ્યુ હતુ.

ઉલ્લેખનીય છે કે, ડાંગ જિલ્લામા ૧૭મી સપ્ટેમ્બર થી ૧લી ઓક્ટોબર દરમિયાન જિલ્લાના આહવા, વઘઈ અને સુબીર તાલુકામા 'સ્વછતા હી સેવા અભિયાન' મા કુલ ૫૫,૦૫૫ લોકોએ ભાગ લીધો છે. જેમા 'સ્વછતા હી સેવા' અભિયાનમા ૬૭૬ કીલોગ્રામ કચરાનુ એકત્રિકરણ કરાયુ હતુ. તો 'એક પેડ, માં કે નામ' કાર્યક્રમ અંતર્ગત ૧,૧૫૭ છોડવાઓનુ વાવેતર પણ કરવામા આવ્યુ છે.

આ કાર્યક્રમ વેળાએ આહવા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી સુરેશભાઈ ચૌધરી, વઘઇ તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી ચંદરભાઇ ગાવિત, પ્રદેશ આદિજાતિ મોરચાના મંત્રી શ્રી સુભાસ ગાઇન, ભાજપા મહામંત્રી શ્રી દિનેશભાઇ ભોયે, આહવા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી હરિચંદ ભોયે, સહિત જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી એસ.ડી.તબિયાર, આહવાના તાલુકા વિકાસ અધિકારી શ્રી સુહાસ ગવાંદે, વઘઈના તાલુકા વિકાસ અધિકારી સુશ્રી મીનાબેન પટેલ, તેમજ ગ્રામજનો મોટી સંખ્યામા ઉપસ્થિત રહ્યા હતા.

#MahatmaGandhiji 

#SHSGujarat2024 

#SBD2024 

#SHS2024

#10YearsOfSwachhBharat 

Courtesy : info Dang gog

Comments

Popular posts from this blog

Navsari : નવસારી ખાતે આદિજાતિ રાજ્ય મંત્રીશ્રી કુંવરજીભાઇ હળપતિના અધ્યક્ષસ્થાને ૭૮ મા સ્વાતંત્ર્ય દિવસની આન, બાન, શાન સાથે ઉજવણી

Navsari : નવસારી ખાતે આદિજાતિ રાજ્ય મંત્રીશ્રી કુંવરજીભાઇ હળપતિના અધ્યક્ષસ્થાને ૭૮ મા સ્વાતંત્ર્ય દિવસની આન, બાન, શાન સાથે ઉજવણી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની દીર્ઘદ્રષ્ટિથી આજે સૌ કોઈ વિકાસની મુખ્યધારામાં આવી રહ્યા છે. ---- ‘વિકસિત ભારત ૨૦૪૭’ ના સંકલ્પને સાકાર કરવાના પથ પર ગુજરાત મક્કમતાથી આગળ વધી રહ્યું છે. ----- વન બંધુ કલ્યાણ યોજના તથા અન્ય વિવિધ  કલ્યાણકારી યોજનાઓ થકી આદિજાતિ પરિવારોને સર્વાંગી વિકાસ થયો છે .}} - આદિજાતિ રાજ્ય મંત્રીશ્રી કુંવરજીભાઇ હળપતિ  * વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિની સાંસ્કૃતિક કૃતિઓની ઉર્જાવાન પ્રસ્તુતિ કરાઈ * નવસારી જિલ્લાના વિકાસ અર્થે રૂા.૨૫ લાખનો ચેક અર્પણ કરતા આદિજાતિ મંત્રીશ્રી કુંવરજીભાઇ હળપતિ  (નવસારી/ ગુરુવાર) આજે ભારતના  ૭૮ મા સ્વાતંત્ર્યપર્વની  ઠેર-ઠેર ભારે હર્ષોલ્લાસ, ઉમંગ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. નવસારી જિલ્લા કક્ષાની ઉજવણી નવસારી સ્થિત સાંઈ ગરબા ગ્રાઉન્ડ  ખાતે રાજ્યકક્ષાના આદિજાતિ અને ગ્રામવિકાસ મંત્રીશ્રી કુંવરજીભાઇ હળપતિના અધ્યક્ષસ્થાને ભારે ઉમંગ-ઉત્સાહ સાથે યોજાઈ હતી. મંત્રીશ્રી કુંવરજીભાઇ હળપતિએ રાષ્ટ્ર ભ...

Dang news :ડાંગના લવચાલી રેંન્જમા સમાવિષ્ટ કરંજડા ખાતે મંત્રી શ્રી મુકેશભાઇ પટેલે “વન કવચ”નું લોકાર્પણ કર્યુ :

 Dang news :ડાંગના લવચાલી રેંન્જમા સમાવિષ્ટ કરંજડા ખાતે મંત્રી શ્રી મુકેશભાઇ પટેલે “વન કવચ”નું લોકાર્પણ કર્યુ : પ્રકૃતિ પ્રેમીઓ માટે ઉભુ કરાયુ “વન કવચ”નુ આકર્ષણ : એક હેક્ટર વિસ્તારમા ૫૮ જાતના કુલ દસ હજાર વૃક્ષોનુ વાવેતર કરાયુ : (ડાંગ માહિતી બ્યૂરો): આહવા: તા: ૨૮: ડાંગ જિલ્લાના પ્રવાસે આવેલા રાજ્ય મંત્રી શ્રી મુકેશભાઇ પટેલે (વન અને પર્યાવરણ, કલાઇમેટ ચેન્જ, જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગ) સુબીર તાલુકાની લવચાલી રેંન્જમાં સમાવિષ્ટ કરંજડા ખાતે, જિલ્લાની પ્રકૃતિને માણવા આવતા પર્યટકો માટે નવા નજરાણા સમાન “વન કવચ” નુ લોકાર્પણ કર્યુ હતુ.  વૃક્ષોના જતન સંવર્ધન માટે “વન કવચ” એ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના ડ્રીમ પ્રોજેકટ પૈકીનો એક મહત્વનો ભાગ છે. ટુક સમયમા ઝડપથી અને ખાસ કરીને પ્રવાસન કે અર્બન એરીયામા વન ઉભુ કરી શકાય તે માટે જાપાનીસ મિયાવાકી પદ્ધતિનો ઉપયોગ કરીને “વન કવચ” તૈયાર કરવામા આવે છે. જેમા મિયાવાકી પદ્ધતિનો ઉચ્ચસ્તરીય, મધ્યમસ્તરીય અને નિમ્નસ્તરીય એવી રીતે વૃક્ષોની જાતો પસંદ કરીને તેનુ વાવેતર કરવામાં આવે છે. તેમ મંત્રીશ્રીએ આ વેળા જણાવ્યુ હતુ. વન કવચ એ એક એવી પદ્ધતિ છે, જેની શ...

Navsari : પોલિયો નાબૂદી અભિયાન અંતર્ગત નવસારી જિલ્લાના ૬૩૩ પોલિયો બૂથો પર ૧૦૨૯૯૧ બાળકોને પોલિયોની રસી પીવડાવવામાં આવી.

  Navsari : પોલિયો નાબૂદી અભિયાન અંતર્ગત નવસારી જિલ્લાના ૬૩૩ પોલિયો બૂથો પર ૧૦૨૯૯૧ બાળકોને પોલિયોની રસી પીવડાવવામાં આવી. નવસારી,તા.૨૪: પોલિયો નાબૂદી અભિયાન અંતર્ગત નવસારી જિલ્લામાં ગત તા.૨૩ જૂન, પોલિયો રવિવાર થી તા.૨૫ જૂન એમ ત્રણ દિવસો દરમ્યાન ૦ થી ૫ સુધીના બાળકોને પોલિયોના બે ટીપાં પીવડાવી પોલિયોથી સુરક્ષિત કરવાનું અભિયાનની શરૂઆત કરવામાં આવેલ હતું. જે અંતર્ગત તા.૨૩ જૂનના રોજ જિલ્લાના ૬૩૩ પોલિયો બૂથો પર ૧૦૨૯૯૧ બાળકોને પોલિયોની રસી પીવડાવવામાં આવી હતી.  નવસારી જિલ્લામાં અનેક સ્થળોએ લોક પ્રતિનીધિઓ તથા અધિકારીશ્રીઓ દ્વારા આ ઝુંબેશનું ઉદ્દઘાટન કરી લોકોને ૦ થી ૫ વર્ષના બાળકોને પોલિયોની રસી પીવડાવવા પ્રેરિત કર્યા હતા. નવસારી જિલ્લાના કાર્યક્રમમાં પુષ્પ લતા (IAS) - જિલ્લા વિકાસ અધિકારીશ્રી નવસારીએ અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. ચીખલી તાલુકામાં દેગામ ખાતે પરેશ દેસાઈ, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી,નવસારી, જલાલપોર તાલુકાના આટ ખાતે ધારાસભ્યશ્રી,જલાલપોર આર.સી.પટેલ, નવસારી તાલુકામાં ધારાસભ્યશ્રી નવસારી રાકેશ દેસાઈ, વાંસદા ઉનાઈ ખાતે ધારાસભ્યશ્રી,વાંસદા-ખેરગામ અનંત પટેલ, રૂમલા ખાતે બાબુભાઈ પાડવી, ...