Skip to main content

ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ: એકતાનું પ્રતીક, બિનહરીફ વરણીની પરંપરા.

ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ: એકતાનું પ્રતીક, બિનહરીફ વરણીની પરંપરા. આજના ઝડપી અને વિવાદાસ્પદ વિશ્વમાં, જ્યાં ચૂંટણીઓમાં હરીફાઈ અને વિવાદો સામાન્ય છે, ત્યાં ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘની બિનહરીફ વરણી એક પ્રેરણાદાયી ઉદાહરણ છે. 21 સપ્ટેમ્બર 2025ના રોજ, વાડ મુખ્ય પ્રાથમિક શાળામાં યોજાયેલી ચકાસણીમાં, તાલુકાના શિક્ષકોની સર્વસંમતિથી પસંદગી  થયેલ ઉમેદવારોને બિનહરીફ જાહેર કરવામાં આવ્યાં. આ ઘટના તાલુકાના શિક્ષકોની અદ્ભુત એકતા અને વિશ્વાસને દર્શાવે છે. સંઘની ચૂંટણી માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું, જેમાં ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 20 સપ્ટેમ્બર 2025ના રોજ 11 વાગ્યા સુધીની હતી. ચૂંટણી પંચે જણાવ્યું કે માત્ર  તાલુકાના પસંદગી પામેલ પાંચ ઉમેદવારોએ જ ફોર્મ જમા કરાવ્યા હતા, જેની ચકાસણીમાં તમામ ફોર્મ ક્ષતિરહિત જણાતાં, ચૂંટણી પંચના  ધર્મેશભાઈ મનુભાઈ પટેલ (અધ્યક્ષ, પહાડ ફળિયા પ્રાથમિક શાળા ખેરગામ), ધર્મેશભાઈ દેવાણી (સભ્ય ચીમનપાડા પ્રાથમિક શાળા), અનિલભાઈ પટેલ ( સભ્ય, તોરણ વેરા પ્રાથમિક શાળા, વિરેન્દ્રભાઈ પટેલ ( સભ્ય, નાંધઈ પ્રાથમિક શાળા) અને અમ્રતભાઈ પટેલ (સભ્...

વાંસદા તાલુકાના કેળકચ્છ ગામના પ્રગતિશીલ ખેડૂતે માત્ર ૧ વિંઘા જેટલી નાની જગ્યામાં કરી ગલગોટાના ફુલોની ખેતી; નવરાત્રી અને દશેરો મળી અંદાજીત ૧૦ મણ ગલગોટાના ફુલોનું કર્યું ઘર બેઠા વેચાણ

    

નવરાત્રી પર્વ વિશેષ: નવસારી જિલ્લો 

-

ઓછો ખર્ચ, ઓછી મહેનત અને વધુ ઉત્પાદન, વધુ આવક એટલે ગલગોટાની ખેતી

-

વાંસદા તાલુકાના કેળકચ્છ ગામના પ્રગતિશીલ ખેડૂતે માત્ર ૧ વિંઘા જેટલી નાની જગ્યામાં કરી ગલગોટાના ફુલોની ખેતી; નવરાત્રી અને દશેરો મળી અંદાજીત ૧૦ મણ ગલગોટાના ફુલોનું કર્યું ઘર બેઠા વેચાણ; બાગાયત ખાતાની યોજના અંતર્ગત ૫૦ ટકા સહાય મેળવી કરી આવક બમણી

-

આયોજનબધ્ધ રીતે સિઝન અનુસાર કરેલ રંગબેરંગી ફુલોની ખેતીથી થાય છે અનેક ઘણો ફાયદો

-

ઓછા ખર્ચમાં વધુ આવક કરવી હોય તો બાગાયતી પાકો કરવા જોઇએ- કેળકચ્છ ગામના ખેડૂતશ્રી કરશનભાઇ નરસિંહભાઇ પટેલ

-

સંકલન-વૈશાલી પરમાર 

-

નવસારી,તા.૧૪: રાજયમાં બાગાયતી વિકાસને વેગ આ૫વા સમગ્ર રાજ્યમાં બાગાયત ખાતાની રચના કરવામાં આવી છે. રાજયમાં કૃષિનો મહત્વનો હિસ્સો બાગાયત પણ છે. નવસારી જિલ્લો તેના બાગાયતી પાકો અને ફુલો  માટે પણ સમગ્ર રાજ્યમાં વખાણાય છે. 

ઉત્સવોના ગઢ એવા ભારત દેશમાં શ્રાવણ માસથી મહોત્સવોની શરૂઆત થતા ઓક્ઝોટીક થી લઇ દેશી  સુધી વિવિધ ફુલોની માંગ વધે છે. આ સમયની માંગને પહોચી વળવા અનેક ખેડૂતમિત્રો તહેવારો અનુસાર આયોજનબધ્ધ રીતે વિવિધ ફુલોની ખેતી સિઝનલ પાક તરીકે પસંદગી કરતા હોય છે. નવરાત્રીના તહેવારમાં સૌનો મનપસંદ ગલગોટાના ફુલોની ભારે માંગ હોય છે. ૧૦૦ રૂપિયાથી શરૂ કરી દશેરાના દિવસે ૨૦૦ રૂપિયે કિલો સુધી ફુલોનો ભાવ પહોચતા હોય છે જેના કારણે આયોજનબધ્ધ રીતે સિઝન અનુસાર કરેલ રંગબેરંગી ફુલોની ખેતીથી અનેક ઘણો ફાયદો ખેડૂતોને થાય છે. 

નવસારી જિલ્લો આમ લીલીના ફુલ માટે જાણીતો છે. પરંતું આ ઉપરાંત પણ ગલગોટા, દેશી ગુલાબ,જલબેરા જેવા ફુલોની ખેતી પણ ખેડૂતો આંતર પાક તરીકે અને તહેવારો માટે પોતાની અનુકુળતાએ પાકની પસંદગી કરતા હોય છે. 

નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના કેળકચ્છ ગામના ખેડૂતશ્રી કરશનભાઇ નરસિંહભાઇ પટેલ ઘણા વર્ષથી સિઝન અનુસાર ગલગોટાની ખેતી કરી રહ્યા છે. આ વર્ષે  પણ તહેવારને ઘ્યાને રાખી માત્ર ૧ વિંઘા જેટલી નાની જગ્યામાં પણ ગલગોટાના ફુલોની ખેતી કરી છે. જેના થકી તેમને વધારાની આવક રૂપે ખેતી કરે છે. 

કરશનભાઇએ આ બાબતે જણાવ્યું હતું કે, હું વર્ષોથી ખેતી કરૂં છું. ઓછા ખર્ચમાં વધુ આવક કરવી હોય તો બાગાયતી પાકો કરવા જોઇએ. ફુલોની ખેતી થકી ખુબ જ ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવી શકાય છે. સિઝનના પાક અનુસાર ફુલોની ખેતી કરી સારી એવી આવક મેળવી શકાય છે. ગણપતિ મહોત્સવથી શરૂ કરી નવરાત્રી, દિવાળી જેવા તહેવારોમાં ગલગોટાના ફુલની ખુબ માંગ હોય છે. તેથી સિઝન પ્રમાણે આપણે આવા પાક કરવા જોઇએ. જેથી આપણે ઓછા ખર્ચે સારી આવક મેળવી શકીએ છે.

તેમણે ગલગોટાના ફુલ એટલે છુટા ફુલ જેના માટે નાયબ બાગાય નિયામકશ્રીની કચેરી નવસારી દ્વારા સહાય ચુકવવામાં આવે છે. તે અંગે જાણકારી આપતા કહ્યું હતું કે, બાગાયત ખાતાની યોજના અંતર્ગત છુટા ફુલની ખેતી માટે નાના અને સિંમાંત ખેડુતો માટે અંદાજીત ૫૦ ટકા સહાય મળવા પાત્ર છે. કરશનભાઇને પણ આ યોજનાનો લાભ લીધો છે. જેના માટે કરશનભાઇએ નવસારી બાગાયત ખાતું અને સરકારશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો. 

કરશનભાઇએ વધુમાં તમામ ખેડૂતોને પોતાના ખેતરમાં અપનાવેલ રીત અનુસાર ગલગોટાની ખેતી કરવા સલાહ આપી હતી. જેમાં દરેક પાકની ફરતે અને વચ્ચે-વચ્ચે ક્યારીઓમાં ગલગોટાના ફુલ ઉગાળવાની હિમાયત કરી હતી. ગલગોટાના ફુલથી જીવાતો ફુલો ઉપર જતી રહે છે અને મુખ્ય પાકને રક્ષણ મળે છે. વધુમાં ફુલોના કારણે પતંગીયાઓની સંખ્યા વધે છે જેથી પરાગરજને અલગ અલગ ફુલોમાં પહોચાડવામાં મદદરૂપ થાય છે. જેથી ફળ વધારે લાગે છે. આ ઉપરાંત ફુલો ઉપર રહેલા કિટકોને ખાવા પક્ષીઓ આવતા હોય છે જેથી કુદરતી રીતે જંતુનાસકનો ફાયદો મળે છે એમ ઉમેરી નવસારી જિલ્લાના તમામ ખેડૂતોને સિઝનલ ફુલોની ખેતી કરવા અનુરોધ કર્યો હતો.

ગલગોટાની ખેતી એટલે ઓછો ખર્ચ, ઓછી મહેનત અને વધુ ઉત્પાદન, વધુ આવક. 

કરશનભાઇએ ઉમેર્યું કે, પોતે ગલગોટાના ફુલોને સીધા માળીને વેચવાની સાથે નવરાત્રી દરમિયાન લોકો ફુલો શોધતા શોધતા ઘર બેઠા આવે છે. ફુલોને માર્કેટ સુધી પણ લઇ જવાની જરૂર પડતી નથી એમ ઉમેર્યું હતું. તેમણે આંકડાકિય માહિતી આપતા જણાવ્યું હતું કે, આ નવરાત્રી દરમિયાન દરરોજ અંદાજિત ૨૦ કિલો ફુલ કાઢ્યા હતા. નવરાત્રી અને દશેરો મળી અંદાજીત ૧૦ મણ ગલગોટાના ફુલોનું ઘર બેઠા વેચાણ કરી વધારાની આવક મેળવી છે. તેમણે અંતે ફરી ગલગોટાની ખેતી અપનાવવાની સલાહ આપતા ઉમેર્યું હતું કે, ગલગોટાની ખેતી એટલે ઓછો ખર્ચ, ઓછી મહેનત અને વધુ ઉત્પાદન, વધુ આવક. 

છુટ્ટા ફુલોની ખેતીની યોજનામાં કુલ-૬૫% સહાય મળે છે.

નોંધનિય છે કે, છુટ્ટા ફુલોની ખેતીની યોજનામાં નાના અને સીમાંત ખેડૂતો માટે ખર્ચના ૪૦%, મહત્તમ રૂ. ૧૬,૦૦૦/હે. અને વધારાની ૨૫% પૂરક સહાય સાથે કુલ-૬૫% સહાય મળે છે.

બાગાયત ખાતા તરફથી અમલી વિવિધ સહાયલક્ષી યોજનાઓનો મુખ્ય ઉદેશ બાગાયતી પાકોનું ઉત્પાદન તથા ખેત આવકમાં વધારો કરવો, રોજગારીની તકો વધારવી તથા કાપણી પછી બગાડ અટકાવી મૂલ્યવર્ધન કરવાનો છે. જે માટે વિવિધ ખેડૂતલક્ષી યોજનાઓ અમલમાં છે. જેનો લાભ સર્વ ખેડૂત મિત્રોએ ચોક્કસ લેવો જોઇએ. 

૦૦૦૦૦૦

#TeamNavsari

Gujarat InformationCMO GujaratCollector NavsariDdo Navsari









Comments

Popular posts from this blog

Navsari news : જમાલપોર પ્રાથમિક શાળામાં દિવ્યાંગ બાળકનો જન્મ દિવસ ધામધૂમથી ઉજવાયો.

Navsari news : જમાલપોર પ્રાથમિક શાળામાં દિવ્યાંગ બાળકનો જન્મ દિવસ ધામધૂમથી ઉજવાયો. તારીખ : 24-10-2024|નવસારી જિલ્લાની જમાલપોર પ્રાથમિક શાળામાં દિવ્યાંગ બાળક લક્ષ હિતેશભાઈ રાઠોડનો જન્મ દિવસ ઉજવવા માટે શાળાના શિક્ષક અને બાળકોની ટીમે ખાસ આયોજન કર્યું હતું. શાળાએ બાળકોમાં સામાજિક મૂલ્યોના સંસ્કાર ઉભા કરવા માટે આ ઉજવણીનું આયોજન કર્યું, જેમાં  કેક કટિંગ અને ગીત સાથે વાતાવરણને ખુશનુમા બનાવવામાં આવ્યું. તેમજ લક્ષ હિતેશભાઈ રાઠોડના જન્મદિવસ નિમિત્તે આ પ્રીતિ ભોજનનું આયોજન કરીને, ગામના શિવપાર્વતી સોસાયટીના રહેવાસી રાજુભાઈ દેસાઈએ સમાજમાં સંવેદના અને એકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. આ પ્રકારના માનવતાના કાર્યોથી સમાજમાં એકતા અને સહકારનો સંદેશ પ્રસરે છે. આવું આયોજન માત્ર જન્મદિવસની ઉજવણી પૂરતું સીમિત નથી, પણ તે સમાજ માટે ઉદાહરણરૂપ બની રહે છે. ઉપસ્થિત બાળકો અને શિક્ષકો દ્વારા જન્મદિવસની ઉજવણીમાં ખાસ મહેમાનોની જેમ તે દિવ્યાંગ બાળકને પ્રેમ અને સન્માન આપવામાં આવ્યું. આ પ્રસંગે શાળાએ સમાનતા, સહાનુભૂતિ અને સાથ-સહકારની ભાવના જાગૃત કરવાનું ધ્યાન રાખ્યું. શાળા પરિવાર રાજુભાઈનો ખુબ ખુબ આભાર વ્યક્ત કરે છે અ...

Gandevi news : કોળી પટેલ સમાજ બીલીમોરા દ્વારા કીર્તિબહેન પટેલને વિશિષ્ટ સિદ્ધિ માટે સન્માન કરવામાં આવ્યું.

Gandevi news : કોળી પટેલ સમાજ બીલીમોરા દ્વારા કીર્તિબહેન પટેલને વિશિષ્ટ સિદ્ધિ માટે સન્માન કરવામાં આવ્યું. બીલીમોરા, 6 નવેમ્બર 2024: કોળી પટેલ સમાજ બીલીમોરા વિભાગે 28 મો પારિતોષિક સન્માન કાર્યક્રમ યોજ્યો, જેમાં 2024ના વર્ષે 11 વિશિષ્ટ સિદ્ધિવીરો અને 79 તેજસ્વી વિદ્યાર્થીઓને ટ્રોફી અને સાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા. આ પ્રસંગે, શિક્ષણ, સાહિત્ય, અને સામાજિક ક્ષેત્રે નોંધપાત્ર સફળતા મેળવવા બદલ કીર્તિબહેન ઓજસકુમાર પટેલને વિશિષ્ટ એવોર્ડ આપવામાં આવ્યો. તેમણે એક જ વર્ષમાં "ઇન્સ્પાયરીંગ વુમન એવોર્ડ", "રાષ્ટ્રીય નવાચારી ગતિવિધિ એવોર્ડ", "નારી રત્ન એવોર્ડ", અને "શ્રેષ્ઠ લેખિકા/કવયિત્રી સન્માન" પ્રાપ્ત કર્યા. કીર્તિબહેન, જે નવસારી જિલ્લાની 'વાઘરેચ બુનિયાદી મિશ્રશાળા'માં ઉપશિક્ષિકા તરીકે કામ કરે છે, પુજ્ય મોરારીબાપુના હસ્તે ચિત્રકૂટ પારિતોષિક અને તાલુકા શ્રેષ્ઠ શિક્ષક સન્માન  મળેલ છે. આ અવસર પર, કોળીપટેલ સમાજના પ્રમુખશ્રી રમણભાઈ સી. પટેલ અને શિક્ષણ સમિતિના કન્વીનર ધીરજલાલ પટેલે કીર્તિબહેન અને અન્ય પ્રતિભાવાન લોકોને શુભેચ્છાઓ પાઠવી અને સમાજની પ્રગતિ...

ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ: એકતાનું પ્રતીક, બિનહરીફ વરણીની પરંપરા.

ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ: એકતાનું પ્રતીક, બિનહરીફ વરણીની પરંપરા. આજના ઝડપી અને વિવાદાસ્પદ વિશ્વમાં, જ્યાં ચૂંટણીઓમાં હરીફાઈ અને વિવાદો સામાન્ય છે, ત્યાં ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘની બિનહરીફ વરણી એક પ્રેરણાદાયી ઉદાહરણ છે. 21 સપ્ટેમ્બર 2025ના રોજ, વાડ મુખ્ય પ્રાથમિક શાળામાં યોજાયેલી ચકાસણીમાં, તાલુકાના શિક્ષકોની સર્વસંમતિથી પસંદગી  થયેલ ઉમેદવારોને બિનહરીફ જાહેર કરવામાં આવ્યાં. આ ઘટના તાલુકાના શિક્ષકોની અદ્ભુત એકતા અને વિશ્વાસને દર્શાવે છે. સંઘની ચૂંટણી માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું, જેમાં ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 20 સપ્ટેમ્બર 2025ના રોજ 11 વાગ્યા સુધીની હતી. ચૂંટણી પંચે જણાવ્યું કે માત્ર  તાલુકાના પસંદગી પામેલ પાંચ ઉમેદવારોએ જ ફોર્મ જમા કરાવ્યા હતા, જેની ચકાસણીમાં તમામ ફોર્મ ક્ષતિરહિત જણાતાં, ચૂંટણી પંચના  ધર્મેશભાઈ મનુભાઈ પટેલ (અધ્યક્ષ, પહાડ ફળિયા પ્રાથમિક શાળા ખેરગામ), ધર્મેશભાઈ દેવાણી (સભ્ય ચીમનપાડા પ્રાથમિક શાળા), અનિલભાઈ પટેલ ( સભ્ય, તોરણ વેરા પ્રાથમિક શાળા, વિરેન્દ્રભાઈ પટેલ ( સભ્ય, નાંધઈ પ્રાથમિક શાળા) અને અમ્રતભાઈ પટેલ (સભ્...