Skip to main content

ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ: એકતાનું પ્રતીક, બિનહરીફ વરણીની પરંપરા.

ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ: એકતાનું પ્રતીક, બિનહરીફ વરણીની પરંપરા. આજના ઝડપી અને વિવાદાસ્પદ વિશ્વમાં, જ્યાં ચૂંટણીઓમાં હરીફાઈ અને વિવાદો સામાન્ય છે, ત્યાં ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘની બિનહરીફ વરણી એક પ્રેરણાદાયી ઉદાહરણ છે. 21 સપ્ટેમ્બર 2025ના રોજ, વાડ મુખ્ય પ્રાથમિક શાળામાં યોજાયેલી ચકાસણીમાં, તાલુકાના શિક્ષકોની સર્વસંમતિથી પસંદગી  થયેલ ઉમેદવારોને બિનહરીફ જાહેર કરવામાં આવ્યાં. આ ઘટના તાલુકાના શિક્ષકોની અદ્ભુત એકતા અને વિશ્વાસને દર્શાવે છે. સંઘની ચૂંટણી માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું, જેમાં ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 20 સપ્ટેમ્બર 2025ના રોજ 11 વાગ્યા સુધીની હતી. ચૂંટણી પંચે જણાવ્યું કે માત્ર  તાલુકાના પસંદગી પામેલ પાંચ ઉમેદવારોએ જ ફોર્મ જમા કરાવ્યા હતા, જેની ચકાસણીમાં તમામ ફોર્મ ક્ષતિરહિત જણાતાં, ચૂંટણી પંચના  ધર્મેશભાઈ મનુભાઈ પટેલ (અધ્યક્ષ, પહાડ ફળિયા પ્રાથમિક શાળા ખેરગામ), ધર્મેશભાઈ દેવાણી (સભ્ય ચીમનપાડા પ્રાથમિક શાળા), અનિલભાઈ પટેલ ( સભ્ય, તોરણ વેરા પ્રાથમિક શાળા, વિરેન્દ્રભાઈ પટેલ ( સભ્ય, નાંધઈ પ્રાથમિક શાળા) અને અમ્રતભાઈ પટેલ (સભ્...

વાંસદા તાલુકાના કેળકચ્છ ગામના પ્રગતિશીલ ખેડૂતે માત્ર ૧ વિંઘા જેટલી નાની જગ્યામાં કરી ગલગોટાના ફુલોની ખેતી; નવરાત્રી અને દશેરો મળી અંદાજીત ૧૦ મણ ગલગોટાના ફુલોનું કર્યું ઘર બેઠા વેચાણ

    

નવરાત્રી પર્વ વિશેષ: નવસારી જિલ્લો 

-

ઓછો ખર્ચ, ઓછી મહેનત અને વધુ ઉત્પાદન, વધુ આવક એટલે ગલગોટાની ખેતી

-

વાંસદા તાલુકાના કેળકચ્છ ગામના પ્રગતિશીલ ખેડૂતે માત્ર ૧ વિંઘા જેટલી નાની જગ્યામાં કરી ગલગોટાના ફુલોની ખેતી; નવરાત્રી અને દશેરો મળી અંદાજીત ૧૦ મણ ગલગોટાના ફુલોનું કર્યું ઘર બેઠા વેચાણ; બાગાયત ખાતાની યોજના અંતર્ગત ૫૦ ટકા સહાય મેળવી કરી આવક બમણી

-

આયોજનબધ્ધ રીતે સિઝન અનુસાર કરેલ રંગબેરંગી ફુલોની ખેતીથી થાય છે અનેક ઘણો ફાયદો

-

ઓછા ખર્ચમાં વધુ આવક કરવી હોય તો બાગાયતી પાકો કરવા જોઇએ- કેળકચ્છ ગામના ખેડૂતશ્રી કરશનભાઇ નરસિંહભાઇ પટેલ

-

સંકલન-વૈશાલી પરમાર 

-

નવસારી,તા.૧૪: રાજયમાં બાગાયતી વિકાસને વેગ આ૫વા સમગ્ર રાજ્યમાં બાગાયત ખાતાની રચના કરવામાં આવી છે. રાજયમાં કૃષિનો મહત્વનો હિસ્સો બાગાયત પણ છે. નવસારી જિલ્લો તેના બાગાયતી પાકો અને ફુલો  માટે પણ સમગ્ર રાજ્યમાં વખાણાય છે. 

ઉત્સવોના ગઢ એવા ભારત દેશમાં શ્રાવણ માસથી મહોત્સવોની શરૂઆત થતા ઓક્ઝોટીક થી લઇ દેશી  સુધી વિવિધ ફુલોની માંગ વધે છે. આ સમયની માંગને પહોચી વળવા અનેક ખેડૂતમિત્રો તહેવારો અનુસાર આયોજનબધ્ધ રીતે વિવિધ ફુલોની ખેતી સિઝનલ પાક તરીકે પસંદગી કરતા હોય છે. નવરાત્રીના તહેવારમાં સૌનો મનપસંદ ગલગોટાના ફુલોની ભારે માંગ હોય છે. ૧૦૦ રૂપિયાથી શરૂ કરી દશેરાના દિવસે ૨૦૦ રૂપિયે કિલો સુધી ફુલોનો ભાવ પહોચતા હોય છે જેના કારણે આયોજનબધ્ધ રીતે સિઝન અનુસાર કરેલ રંગબેરંગી ફુલોની ખેતીથી અનેક ઘણો ફાયદો ખેડૂતોને થાય છે. 

નવસારી જિલ્લો આમ લીલીના ફુલ માટે જાણીતો છે. પરંતું આ ઉપરાંત પણ ગલગોટા, દેશી ગુલાબ,જલબેરા જેવા ફુલોની ખેતી પણ ખેડૂતો આંતર પાક તરીકે અને તહેવારો માટે પોતાની અનુકુળતાએ પાકની પસંદગી કરતા હોય છે. 

નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના કેળકચ્છ ગામના ખેડૂતશ્રી કરશનભાઇ નરસિંહભાઇ પટેલ ઘણા વર્ષથી સિઝન અનુસાર ગલગોટાની ખેતી કરી રહ્યા છે. આ વર્ષે  પણ તહેવારને ઘ્યાને રાખી માત્ર ૧ વિંઘા જેટલી નાની જગ્યામાં પણ ગલગોટાના ફુલોની ખેતી કરી છે. જેના થકી તેમને વધારાની આવક રૂપે ખેતી કરે છે. 

કરશનભાઇએ આ બાબતે જણાવ્યું હતું કે, હું વર્ષોથી ખેતી કરૂં છું. ઓછા ખર્ચમાં વધુ આવક કરવી હોય તો બાગાયતી પાકો કરવા જોઇએ. ફુલોની ખેતી થકી ખુબ જ ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવી શકાય છે. સિઝનના પાક અનુસાર ફુલોની ખેતી કરી સારી એવી આવક મેળવી શકાય છે. ગણપતિ મહોત્સવથી શરૂ કરી નવરાત્રી, દિવાળી જેવા તહેવારોમાં ગલગોટાના ફુલની ખુબ માંગ હોય છે. તેથી સિઝન પ્રમાણે આપણે આવા પાક કરવા જોઇએ. જેથી આપણે ઓછા ખર્ચે સારી આવક મેળવી શકીએ છે.

તેમણે ગલગોટાના ફુલ એટલે છુટા ફુલ જેના માટે નાયબ બાગાય નિયામકશ્રીની કચેરી નવસારી દ્વારા સહાય ચુકવવામાં આવે છે. તે અંગે જાણકારી આપતા કહ્યું હતું કે, બાગાયત ખાતાની યોજના અંતર્ગત છુટા ફુલની ખેતી માટે નાના અને સિંમાંત ખેડુતો માટે અંદાજીત ૫૦ ટકા સહાય મળવા પાત્ર છે. કરશનભાઇને પણ આ યોજનાનો લાભ લીધો છે. જેના માટે કરશનભાઇએ નવસારી બાગાયત ખાતું અને સરકારશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો. 

કરશનભાઇએ વધુમાં તમામ ખેડૂતોને પોતાના ખેતરમાં અપનાવેલ રીત અનુસાર ગલગોટાની ખેતી કરવા સલાહ આપી હતી. જેમાં દરેક પાકની ફરતે અને વચ્ચે-વચ્ચે ક્યારીઓમાં ગલગોટાના ફુલ ઉગાળવાની હિમાયત કરી હતી. ગલગોટાના ફુલથી જીવાતો ફુલો ઉપર જતી રહે છે અને મુખ્ય પાકને રક્ષણ મળે છે. વધુમાં ફુલોના કારણે પતંગીયાઓની સંખ્યા વધે છે જેથી પરાગરજને અલગ અલગ ફુલોમાં પહોચાડવામાં મદદરૂપ થાય છે. જેથી ફળ વધારે લાગે છે. આ ઉપરાંત ફુલો ઉપર રહેલા કિટકોને ખાવા પક્ષીઓ આવતા હોય છે જેથી કુદરતી રીતે જંતુનાસકનો ફાયદો મળે છે એમ ઉમેરી નવસારી જિલ્લાના તમામ ખેડૂતોને સિઝનલ ફુલોની ખેતી કરવા અનુરોધ કર્યો હતો.

ગલગોટાની ખેતી એટલે ઓછો ખર્ચ, ઓછી મહેનત અને વધુ ઉત્પાદન, વધુ આવક. 

કરશનભાઇએ ઉમેર્યું કે, પોતે ગલગોટાના ફુલોને સીધા માળીને વેચવાની સાથે નવરાત્રી દરમિયાન લોકો ફુલો શોધતા શોધતા ઘર બેઠા આવે છે. ફુલોને માર્કેટ સુધી પણ લઇ જવાની જરૂર પડતી નથી એમ ઉમેર્યું હતું. તેમણે આંકડાકિય માહિતી આપતા જણાવ્યું હતું કે, આ નવરાત્રી દરમિયાન દરરોજ અંદાજિત ૨૦ કિલો ફુલ કાઢ્યા હતા. નવરાત્રી અને દશેરો મળી અંદાજીત ૧૦ મણ ગલગોટાના ફુલોનું ઘર બેઠા વેચાણ કરી વધારાની આવક મેળવી છે. તેમણે અંતે ફરી ગલગોટાની ખેતી અપનાવવાની સલાહ આપતા ઉમેર્યું હતું કે, ગલગોટાની ખેતી એટલે ઓછો ખર્ચ, ઓછી મહેનત અને વધુ ઉત્પાદન, વધુ આવક. 

છુટ્ટા ફુલોની ખેતીની યોજનામાં કુલ-૬૫% સહાય મળે છે.

નોંધનિય છે કે, છુટ્ટા ફુલોની ખેતીની યોજનામાં નાના અને સીમાંત ખેડૂતો માટે ખર્ચના ૪૦%, મહત્તમ રૂ. ૧૬,૦૦૦/હે. અને વધારાની ૨૫% પૂરક સહાય સાથે કુલ-૬૫% સહાય મળે છે.

બાગાયત ખાતા તરફથી અમલી વિવિધ સહાયલક્ષી યોજનાઓનો મુખ્ય ઉદેશ બાગાયતી પાકોનું ઉત્પાદન તથા ખેત આવકમાં વધારો કરવો, રોજગારીની તકો વધારવી તથા કાપણી પછી બગાડ અટકાવી મૂલ્યવર્ધન કરવાનો છે. જે માટે વિવિધ ખેડૂતલક્ષી યોજનાઓ અમલમાં છે. જેનો લાભ સર્વ ખેડૂત મિત્રોએ ચોક્કસ લેવો જોઇએ. 

૦૦૦૦૦૦

#TeamNavsari

Gujarat InformationCMO GujaratCollector NavsariDdo Navsari









Comments

Popular posts from this blog

Khergam news : રાજ્યપાલશ્રી અને ધારાસભ્યશ્રી સાથે ખેરગામમાં નૂતન વર્ષની ઉજવણી.

 Khergam news : રાજ્યપાલશ્રી અને ધારાસભ્યશ્રી સાથે ખેરગામમાં નૂતન વર્ષની ઉજવણી.  "મહામહીમ રાજ્યપાલ શ્રી મંગુભાઈ પટેલે ખેરગામના કાર્યકર્તાઓને સમર્પણ અને રાષ્ટ્રસેવાના મંત્ર આપ્યા."  "શ્રી નરેશભાઈ પટેલે કાર્યકર્તાઓને શ્રદ્ધા અને વિશ્વાસ સાથે કાર્ય કરવાની પ્રેરણા આપી."  "નૂતન વર્ષમાં એકતા અને શાંતિના સંદેશ સાથે શ્રેષ્ઠ ભારતની સ્થાપનાનો સંકલ્પ." "પ્રફુલભાઈ શુકલ બાપુએ આધ્યાત્મિક જીવનના મૂલ્યોને અપનાવવાના મંત્ર પાઠવ્યા."  "ખેરગામમાં મહાનુભાવોની ઉપસ્થિતિથી કાર્યકર્તાઓમાં ઉમંગ અને ઉત્સાહનો વંટોળ." "મંગુભાઈ પટેલ સાહેબે ખેરગામના નૂતન વર્ષ કાર્યક્રમમાં સેવા અને સમર્પણનો સંદેશ આપ્યો." "ખેરગામમાં કાર્યકર્તાઓને આશીર્વાદ અને પ્રેરણાદાયક સંદેશ સાથે નવા વર્ષનો ઉત્સવ." "શ્રી મંગુભાઈ પટેલે ખેરગામના કાર્યકર્તાઓને નવું વર્ષ વધુ ઉત્સાહ અને ઉમંગ સાથે માણવાનો સંદેશ આપ્યો." મધ્ય પ્રદેશના રાજ્યપાલ આદરણીય શ્રી મંગુભાઈ પટેલ સાહેબે રામજી મંદિર, ખેરગામ ખાતે નૂતન વર્ષ નિમિત્તે કાર્યકર્તાઓ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી.  આ મુલાકાત દરમ્યાન...

Navsari : પોલિયો નાબૂદી અભિયાન અંતર્ગત નવસારી જિલ્લાના ૬૩૩ પોલિયો બૂથો પર ૧૦૨૯૯૧ બાળકોને પોલિયોની રસી પીવડાવવામાં આવી.

  Navsari : પોલિયો નાબૂદી અભિયાન અંતર્ગત નવસારી જિલ્લાના ૬૩૩ પોલિયો બૂથો પર ૧૦૨૯૯૧ બાળકોને પોલિયોની રસી પીવડાવવામાં આવી. નવસારી,તા.૨૪: પોલિયો નાબૂદી અભિયાન અંતર્ગત નવસારી જિલ્લામાં ગત તા.૨૩ જૂન, પોલિયો રવિવાર થી તા.૨૫ જૂન એમ ત્રણ દિવસો દરમ્યાન ૦ થી ૫ સુધીના બાળકોને પોલિયોના બે ટીપાં પીવડાવી પોલિયોથી સુરક્ષિત કરવાનું અભિયાનની શરૂઆત કરવામાં આવેલ હતું. જે અંતર્ગત તા.૨૩ જૂનના રોજ જિલ્લાના ૬૩૩ પોલિયો બૂથો પર ૧૦૨૯૯૧ બાળકોને પોલિયોની રસી પીવડાવવામાં આવી હતી.  નવસારી જિલ્લામાં અનેક સ્થળોએ લોક પ્રતિનીધિઓ તથા અધિકારીશ્રીઓ દ્વારા આ ઝુંબેશનું ઉદ્દઘાટન કરી લોકોને ૦ થી ૫ વર્ષના બાળકોને પોલિયોની રસી પીવડાવવા પ્રેરિત કર્યા હતા. નવસારી જિલ્લાના કાર્યક્રમમાં પુષ્પ લતા (IAS) - જિલ્લા વિકાસ અધિકારીશ્રી નવસારીએ અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. ચીખલી તાલુકામાં દેગામ ખાતે પરેશ દેસાઈ, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી,નવસારી, જલાલપોર તાલુકાના આટ ખાતે ધારાસભ્યશ્રી,જલાલપોર આર.સી.પટેલ, નવસારી તાલુકામાં ધારાસભ્યશ્રી નવસારી રાકેશ દેસાઈ, વાંસદા ઉનાઈ ખાતે ધારાસભ્યશ્રી,વાંસદા-ખેરગામ અનંત પટેલ, રૂમલા ખાતે બાબુભાઈ પાડવી, ...

Navsari : નવસારી ખાતે આદિજાતિ રાજ્ય મંત્રીશ્રી કુંવરજીભાઇ હળપતિના અધ્યક્ષસ્થાને ૭૮ મા સ્વાતંત્ર્ય દિવસની આન, બાન, શાન સાથે ઉજવણી

Navsari : નવસારી ખાતે આદિજાતિ રાજ્ય મંત્રીશ્રી કુંવરજીભાઇ હળપતિના અધ્યક્ષસ્થાને ૭૮ મા સ્વાતંત્ર્ય દિવસની આન, બાન, શાન સાથે ઉજવણી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની દીર્ઘદ્રષ્ટિથી આજે સૌ કોઈ વિકાસની મુખ્યધારામાં આવી રહ્યા છે. ---- ‘વિકસિત ભારત ૨૦૪૭’ ના સંકલ્પને સાકાર કરવાના પથ પર ગુજરાત મક્કમતાથી આગળ વધી રહ્યું છે. ----- વન બંધુ કલ્યાણ યોજના તથા અન્ય વિવિધ  કલ્યાણકારી યોજનાઓ થકી આદિજાતિ પરિવારોને સર્વાંગી વિકાસ થયો છે .}} - આદિજાતિ રાજ્ય મંત્રીશ્રી કુંવરજીભાઇ હળપતિ  * વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિની સાંસ્કૃતિક કૃતિઓની ઉર્જાવાન પ્રસ્તુતિ કરાઈ * નવસારી જિલ્લાના વિકાસ અર્થે રૂા.૨૫ લાખનો ચેક અર્પણ કરતા આદિજાતિ મંત્રીશ્રી કુંવરજીભાઇ હળપતિ  (નવસારી/ ગુરુવાર) આજે ભારતના  ૭૮ મા સ્વાતંત્ર્યપર્વની  ઠેર-ઠેર ભારે હર્ષોલ્લાસ, ઉમંગ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. નવસારી જિલ્લા કક્ષાની ઉજવણી નવસારી સ્થિત સાંઈ ગરબા ગ્રાઉન્ડ  ખાતે રાજ્યકક્ષાના આદિજાતિ અને ગ્રામવિકાસ મંત્રીશ્રી કુંવરજીભાઇ હળપતિના અધ્યક્ષસ્થાને ભારે ઉમંગ-ઉત્સાહ સાથે યોજાઈ હતી. મંત્રીશ્રી કુંવરજીભાઇ હળપતિએ રાષ્ટ્ર ભ...