Skip to main content

Gandevi news : કોળી પટેલ સમાજ બીલીમોરા દ્વારા કીર્તિબહેન પટેલને વિશિષ્ટ સિદ્ધિ માટે સન્માન કરવામાં આવ્યું.

Gandevi news : કોળી પટેલ સમાજ બીલીમોરા દ્વારા કીર્તિબહેન પટેલને વિશિષ્ટ સિદ્ધિ માટે સન્માન કરવામાં આવ્યું. બીલીમોરા, 6 નવેમ્બર 2024: કોળી પટેલ સમાજ બીલીમોરા વિભાગે 28 મો પારિતોષિક સન્માન કાર્યક્રમ યોજ્યો, જેમાં 2024ના વર્ષે 11 વિશિષ્ટ સિદ્ધિવીરો અને 79 તેજસ્વી વિદ્યાર્થીઓને ટ્રોફી અને સાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા. આ પ્રસંગે, શિક્ષણ, સાહિત્ય, અને સામાજિક ક્ષેત્રે નોંધપાત્ર સફળતા મેળવવા બદલ કીર્તિબહેન ઓજસકુમાર પટેલને વિશિષ્ટ એવોર્ડ આપવામાં આવ્યો. તેમણે એક જ વર્ષમાં "ઇન્સ્પાયરીંગ વુમન એવોર્ડ", "રાષ્ટ્રીય નવાચારી ગતિવિધિ એવોર્ડ", "નારી રત્ન એવોર્ડ", અને "શ્રેષ્ઠ લેખિકા/કવયિત્રી સન્માન" પ્રાપ્ત કર્યા. કીર્તિબહેન, જે નવસારી જિલ્લાની 'વાઘરેચ બુનિયાદી મિશ્રશાળા'માં ઉપશિક્ષિકા તરીકે કામ કરે છે, પુજ્ય મોરારીબાપુના હસ્તે ચિત્રકૂટ પારિતોષિક અને તાલુકા શ્રેષ્ઠ શિક્ષક સન્માન  મળેલ છે. આ અવસર પર, કોળીપટેલ સમાજના પ્રમુખશ્રી રમણભાઈ સી. પટેલ અને શિક્ષણ સમિતિના કન્વીનર ધીરજલાલ પટેલે કીર્તિબહેન અને અન્ય પ્રતિભાવાન લોકોને શુભેચ્છાઓ પાઠવી અને સમાજની પ્રગતિ...

Dang : મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિના અધ્યક્ષસ્થાને પંચાયત માર્ગ અને મકાન વિભાગના કુલ ૧૦૮.૩૫ કરોડના કામોનુ કરાયુ ખાતમુહૂર્ત :

    

વિકાસ સપ્તાહની ઉજવણી : જિલ્લો ડાંગ

-

Dang : મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિના અધ્યક્ષસ્થાને પંચાયત માર્ગ અને મકાન વિભાગના કુલ ૧૦૮.૩૫ કરોડના કામોનુ કરાયુ ખાતમુહૂર્ત :

-

મંત્રીશ્રીએ આંબાપાડા ખાતેથી ડાંગ જિલ્લામા નિર્માણ થનારા રસ્તા, પુલ, કોઝ વે/પુલ રિપેરીંગ વિગેરે કામાનુ ખાતમુહૂર્ત કર્યું :

-

વિકાસ કરવો અમારી જીદ નથી પણ અમારી આદત છે : પ્રભારી મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિ 

-

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સમગ્ર વિશ્વમા ભારતનુ ગૌરવ વધાર્યું છે : પ્રભારી મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિ 

-

ડાંગ જિલ્લાના આહવા, વઘઇ અને સુબીરના વિકાસકીય કામો થકી જિલ્લાને મહામૂલી ભેટ મળી  : વિધાનસભા નાયબ દંડક શ્રી વિજયભાઇ પટેલ

-


(ડાંગ માહિતી બ્યુરો): આહવા: તા: ૧૪: દેશના હાલના વડાપ્રધાન, અને ગુજરાત રાજયના તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાત રાજયના ૧૪મા મુખ્યમંત્રી તરીકે તા.૭ ઓક્ટોબર, ૨૦૦૧ના દિવસે શપથ લઈને, રાજ્યની વિકાસ યાત્રાની કરવટ બદલી હતી. તેમના કુશળ નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ ગુજરાતની વર્ષ-૨૦૦૧થી વર્ષ-૨૦૨૪ સુધીની ૨૩ વર્ષની સર્વગ્રાહી વૈશ્વિક વિકાસ યાત્રાની સફળતાની ગાથા વર્ણવતા, તા.૭ થી તા.૧૫ ઓક્ટોબર દરમિયાન "વિકાસ સપ્તાહ" ઉજવણી કરવામા રહી છે.


"વિકાસ સપ્તાહ" ની આ ઉજવણી અંતર્ગત ડાંગ જિલ્લાના વઘઇ તાલુકાના આંબાપાડા ખાતે આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર, ગ્રામ વિકાસ વિભાગના રાજ્યમંત્રી-વ-ડાંગ જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિના અધ્યક્ષ સ્થાને, જિલ્લા પંચાયત હસ્તકના માર્ગ અને મકાન વિભાગ દ્વારા, જિલ્લામા નિર્માણ પામનાર રસ્તા, પુલ, કોઝ વે/પુલ રિપેરીંગના કુલ રૂપિયા ૧૦૮.૩૫ કરોડના, કુલ ૩૭ કામોનુ ખાતમુહૂર્ત કરાયુ હતુ. 


જેમા ડાંગ જિલ્લાના આહવા, વઘઇ અને સુબીર તાલુકામા એમ.એમ.જી.વાય વર્ષ ૨૦૨૩/૨૪ યોજના હેઠળ, રોડ રીસરફેસિંગની કામગીરી/સ્ટ્રકચર રિપેરિંગની કામગીરી/નવા પુલની કામગીરી જેવા ૧૫ કામો માટે રૂપિયા ૨૫૨૦ લાખનો ખર્ચ, બજેટ ઉચ્ચક જોગવાઇ  ૨૦૨૩/૨૪ યોજના હેઠળ સ્ટ્રકચર રિપેરિંગ/નવા સ્ટ્રકચર રિપેરિંગ/રોડ રીસરફેસિંગની કામગીરીના કુલ ૧૭ કામો માટે રૂપિયા ૮૦૨૦ લાખનો ખર્ચ, તેમજ માર્ગ મરામત રીસરફેસિંગની કામગીરીના કુલ ૫ કામો માટે રૂપિયા ૨૯૫ લાખનો ખર્ચ મળી, કુલ ૩૭ કામો માટે રૂપિયા ૧૦૮.૩૫ કરોડના કામોનુ ખાતમહૂર્ત કરવામા આવ્યુ હતુ. 


ગુજરાત વિકાસ કરવો, એ અમારી જીદ નથી પણ આદત છે. તેમ જણાવી મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિએ, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની ૨૩ વર્ષના સુશાસનનની ગાથા વર્ણવી હતી. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ૨૩ વર્ષ અગાઉ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા હતા. ૨૩ વર્ષ સુશાસનની ઉજવણી આપણે સૌ કરી રહ્યા છીએ, ત્યારે આપણા સૌ માટે ગર્વની વાત છે કે આજે સમગ્ર વિશ્વમા ભારતની નોંધ લેવાઈ રહી છે, અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી વિશ્વ નેતા તરીકે પ્રસ્થાપિત થયા છે. તેમ તેમણે ઉમેર્યું હતુ.


વડાપ્રધાનશ્રીના દીર્ઘદ્રષ્ટા નેતૃત્વમા ભારત દેશની અન્ય વિકસિત દેશોની હરોળ ગણના કરવામા આવે છે. વડાપ્રધાનશ્રીએ સમગ્ર દેશમાં એક ભારત શ્રેષ્ઠ ભારતની નેમ વ્યક્ત કરી હતી. જે આજે સાકાર થવા જઇ રહી છે. નરેન્દ્રભાઇ મોદીની આગેવાની હેઠળ વર્ષ ૨૦૩૦ સુધીમા ભારતની ઇકોનોમી નંબર એક પર હશે. તેમ પણ મંત્રીશ્રીએ આ વેળા જણાવ્યુ હતુ.


તેમણે વધુમા જણાવ્યુ હતુ કે વર્ષ ૨૦૦૩મા વાયબ્રન્ટ ગુજરાતની શરૂઆત કરીને, ગુજરાતને વિકાસનુ લેન્ડિંગ હબ બનાવવાનો પ્રયાસ કરવામા આવ્યો હતો. જેના પરિણામે આજે ગુજરાતમા સૌથી વધુ રોકાણકારો રોકાણ કરી રહ્યા છે. ગુજરાતમા ઉદ્યોગો સ્થાપવાના કારણે રોજગારી પણ મળી રહી છે. 


ડાંગ જિલ્લામા સરકાર દ્વારા કરોડોના ખર્ચે વિકાસ કામોના ખાતમુહૂર્ત કરવામા આવી રહ્યા છે. જે સરકારની લોકો પ્રત્યેની પ્રતિબ્ધતા દર્શાવે છે. સરકાર હમેશા આદિવાસીઓની પડખે રહી છે. રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ પણ હંમેશા છેવાડાના જિલ્લોઓના વિકાસકીય કામો માટે ચિંતા કરતા હોય છે. આવનાર ભવિષ્યમા હજી વધુ વિકાસકીય કામો કરવામા આવશે, તેમ પણ મંત્રીશ્રીએ વધુમા ઉમેર્યું હતુ.


આ પ્રસંગે ઉપસ્થિત વિધાનસભાના નાયબ દંડક શ્રી વિજયભાઇ પટેલે જણાવ્યુ હતુ કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ મુખ્યમંત્રી તરીકે ગુજરાતની શાસન ધૂરા સંભાળી ત્યારથી “નાગરિક પ્રથમ અભિગમ” સાથે લોકાભિમુખ વહીવટને પ્રાધાન્ય આપ્યુ હતુ. 


ગુજરાતના મુખ્યમંત્રીથી લઈને પ્રધાનમંત્રી સુધીની સફરને ૨૩ વર્ષ પૂર્ણ થયા છે ત્યારે શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝનરી નેતૃત્વ હેઠળ, આજે સમગ્ર વિશ્વમા ભારતનો ડંકો વાગી રહ્યો છે. ‘સબકા સાથ સબકા વિકાસ’ થી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ છેવાડાના માનવીને સુખાકારીની યોજનાઓનો લાભ સીધો મળી રહે, એવી વ્યવસ્થા કરી છે. આજે રાજ્યના આદિવાસી જિલ્લાઓમા વનબધું યોજના થકી રોડ, રસ્તા, પાણી, વિજળી, સિંચાઇ, વિગેરે ક્ષેત્રે વેગવંતા વિકાસના કામો થઇ રહ્યા છે. 


આજે આંબાપાડા ગામથી આહવા, વઘઇ અને સુબીર તાલુકામા રૂ. ૧૦૮.૩૫ કરોડના ખર્ચે થનાર કુલ ૩૭ કામોનુ ખાતમુહૂર્ત કરવામા આવ્યુ છે. આ ફક્ત ટ્રેલર છે. આવનાર સમયમા વધુ વિકાસકીય કામોનુ ખાતમુહર્ત કરવામા આવશે. તેમ તેમણે વધુમા કહ્યુ હતુ.


આહવા અને વઘઇમા રૂ. ૯ કરોડના ખર્ચે તૈયર થઇ રહેલ લાયબ્રેરી, આહવા ખાતે રૂ. ૬ કરોડના ખર્ચે બની રહેલ આદિવાસી ભવન, ડાંગ જિલ્લા પંચાયતનુ રૂ. ૩૦ કરોડના ખર્ચે નિર્માણ થનાર બિલ્ડીંગ, આર.ટી.ઓ ઓફિસ વિગેરનુ આવનાર સમયમા લોકાપર્ણ કરવામા આવશે.


ડાંગ જિલ્લાના વિધ્યાર્થીઓને દુર સુધી ભણવા ન જવુ પડે તે માટે વઘઇમા સરકારી કોલેજ, આહવામા મેડીકલ કોલેજની ભેટ આપી છે. તેમજ જિલ્લાના લોકોને દુર ખેતર સુધી થાંભલાઓ લઇ જવા હવે કોઇ ચાર્જ નહી ચુકવવો પડે તેમ પણ શ્રી વિજયભાઇ પટેલે વધુમા જણાવ્યુ હતુ. 


આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી નિર્મળાબેન ગાઇને જણાવ્યુ હતુ કે, છેલ્લા ૨૩ વર્ષમા થયેલા વિકાસની સમગ્ર રાજ્યમા ઉજવણી થઈ રહી છે. દેશના હાલના પ્રધાનમંત્રી અને ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના કાર્યકાળથી દેશનો વિકાસ થઇ રહ્યો છે. આજે ડાંગ જિલ્લો પણ વિકાસ તરફ હરણફાળ ભરી રહ્યો છે. ડાંગમા હવે વિકાસના કામો ઝડપથી થઇ રહ્યા છે. એક સમયે પછાત ગણાતો ડાંગ જિલ્લો આજે વિકાસ તરફ આગળ વધી રહ્યો છે. 


આ પ્રસંગે જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના અધ્યક્ષ શ્રી ચંદરભાઇ ગાવિત, માજી જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી મંગળભાઇ ગાવિત, જિલ્લા સદસ્ય શ્રી લાલભાઇ ગાવિત, વઘઇ તાલુકા પંચાયત પ્રમુખ શ્રી ચંદરભાઇ ગાવિત, ઉપપ્રમુખ શ્રીમતી સવિતાબેન, ચિચિનાગાવઠાના સરપંચ શ્રી સંકેતભાઇ બંગાળ, ભાજપા પ્રમુખ શ્રી કિશોરભાઇ ગાવિત, પ્રદેશ આદિજાતિ મોરચાના મંત્રી શ્રી સુભાસ ગાઇન, સહિત પ્રાંત અધિકારી શ્રી સાગર મોવાલિયા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી હિરલ પટેલ, પંચાયત કાર્યપાલક ઇજનેર શ્રી આર.બી.ચૌધરી, વઘઇ મામલતદાર શ્રી એમ.આર.પટેલ, સહિતના અધિકારી, કર્મચારીઓ તેમજ મોટી સંખ્યામા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

#VikasSaptah #mahitigujarat#GOGConnect#23yearsofsuccess#cmogujarat#infogujaratGujarat 









Comments

Popular posts from this blog

Navsari : નવસારી ખાતે આદિજાતિ રાજ્ય મંત્રીશ્રી કુંવરજીભાઇ હળપતિના અધ્યક્ષસ્થાને ૭૮ મા સ્વાતંત્ર્ય દિવસની આન, બાન, શાન સાથે ઉજવણી

Navsari : નવસારી ખાતે આદિજાતિ રાજ્ય મંત્રીશ્રી કુંવરજીભાઇ હળપતિના અધ્યક્ષસ્થાને ૭૮ મા સ્વાતંત્ર્ય દિવસની આન, બાન, શાન સાથે ઉજવણી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની દીર્ઘદ્રષ્ટિથી આજે સૌ કોઈ વિકાસની મુખ્યધારામાં આવી રહ્યા છે. ---- ‘વિકસિત ભારત ૨૦૪૭’ ના સંકલ્પને સાકાર કરવાના પથ પર ગુજરાત મક્કમતાથી આગળ વધી રહ્યું છે. ----- વન બંધુ કલ્યાણ યોજના તથા અન્ય વિવિધ  કલ્યાણકારી યોજનાઓ થકી આદિજાતિ પરિવારોને સર્વાંગી વિકાસ થયો છે .}} - આદિજાતિ રાજ્ય મંત્રીશ્રી કુંવરજીભાઇ હળપતિ  * વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિની સાંસ્કૃતિક કૃતિઓની ઉર્જાવાન પ્રસ્તુતિ કરાઈ * નવસારી જિલ્લાના વિકાસ અર્થે રૂા.૨૫ લાખનો ચેક અર્પણ કરતા આદિજાતિ મંત્રીશ્રી કુંવરજીભાઇ હળપતિ  (નવસારી/ ગુરુવાર) આજે ભારતના  ૭૮ મા સ્વાતંત્ર્યપર્વની  ઠેર-ઠેર ભારે હર્ષોલ્લાસ, ઉમંગ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. નવસારી જિલ્લા કક્ષાની ઉજવણી નવસારી સ્થિત સાંઈ ગરબા ગ્રાઉન્ડ  ખાતે રાજ્યકક્ષાના આદિજાતિ અને ગ્રામવિકાસ મંત્રીશ્રી કુંવરજીભાઇ હળપતિના અધ્યક્ષસ્થાને ભારે ઉમંગ-ઉત્સાહ સાથે યોજાઈ હતી. મંત્રીશ્રી કુંવરજીભાઇ હળપતિએ રાષ્ટ્ર ભ...

Dang news :ડાંગના લવચાલી રેંન્જમા સમાવિષ્ટ કરંજડા ખાતે મંત્રી શ્રી મુકેશભાઇ પટેલે “વન કવચ”નું લોકાર્પણ કર્યુ :

 Dang news :ડાંગના લવચાલી રેંન્જમા સમાવિષ્ટ કરંજડા ખાતે મંત્રી શ્રી મુકેશભાઇ પટેલે “વન કવચ”નું લોકાર્પણ કર્યુ : પ્રકૃતિ પ્રેમીઓ માટે ઉભુ કરાયુ “વન કવચ”નુ આકર્ષણ : એક હેક્ટર વિસ્તારમા ૫૮ જાતના કુલ દસ હજાર વૃક્ષોનુ વાવેતર કરાયુ : (ડાંગ માહિતી બ્યૂરો): આહવા: તા: ૨૮: ડાંગ જિલ્લાના પ્રવાસે આવેલા રાજ્ય મંત્રી શ્રી મુકેશભાઇ પટેલે (વન અને પર્યાવરણ, કલાઇમેટ ચેન્જ, જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગ) સુબીર તાલુકાની લવચાલી રેંન્જમાં સમાવિષ્ટ કરંજડા ખાતે, જિલ્લાની પ્રકૃતિને માણવા આવતા પર્યટકો માટે નવા નજરાણા સમાન “વન કવચ” નુ લોકાર્પણ કર્યુ હતુ.  વૃક્ષોના જતન સંવર્ધન માટે “વન કવચ” એ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના ડ્રીમ પ્રોજેકટ પૈકીનો એક મહત્વનો ભાગ છે. ટુક સમયમા ઝડપથી અને ખાસ કરીને પ્રવાસન કે અર્બન એરીયામા વન ઉભુ કરી શકાય તે માટે જાપાનીસ મિયાવાકી પદ્ધતિનો ઉપયોગ કરીને “વન કવચ” તૈયાર કરવામા આવે છે. જેમા મિયાવાકી પદ્ધતિનો ઉચ્ચસ્તરીય, મધ્યમસ્તરીય અને નિમ્નસ્તરીય એવી રીતે વૃક્ષોની જાતો પસંદ કરીને તેનુ વાવેતર કરવામાં આવે છે. તેમ મંત્રીશ્રીએ આ વેળા જણાવ્યુ હતુ. વન કવચ એ એક એવી પદ્ધતિ છે, જેની શ...

Navsari : પોલિયો નાબૂદી અભિયાન અંતર્ગત નવસારી જિલ્લાના ૬૩૩ પોલિયો બૂથો પર ૧૦૨૯૯૧ બાળકોને પોલિયોની રસી પીવડાવવામાં આવી.

  Navsari : પોલિયો નાબૂદી અભિયાન અંતર્ગત નવસારી જિલ્લાના ૬૩૩ પોલિયો બૂથો પર ૧૦૨૯૯૧ બાળકોને પોલિયોની રસી પીવડાવવામાં આવી. નવસારી,તા.૨૪: પોલિયો નાબૂદી અભિયાન અંતર્ગત નવસારી જિલ્લામાં ગત તા.૨૩ જૂન, પોલિયો રવિવાર થી તા.૨૫ જૂન એમ ત્રણ દિવસો દરમ્યાન ૦ થી ૫ સુધીના બાળકોને પોલિયોના બે ટીપાં પીવડાવી પોલિયોથી સુરક્ષિત કરવાનું અભિયાનની શરૂઆત કરવામાં આવેલ હતું. જે અંતર્ગત તા.૨૩ જૂનના રોજ જિલ્લાના ૬૩૩ પોલિયો બૂથો પર ૧૦૨૯૯૧ બાળકોને પોલિયોની રસી પીવડાવવામાં આવી હતી.  નવસારી જિલ્લામાં અનેક સ્થળોએ લોક પ્રતિનીધિઓ તથા અધિકારીશ્રીઓ દ્વારા આ ઝુંબેશનું ઉદ્દઘાટન કરી લોકોને ૦ થી ૫ વર્ષના બાળકોને પોલિયોની રસી પીવડાવવા પ્રેરિત કર્યા હતા. નવસારી જિલ્લાના કાર્યક્રમમાં પુષ્પ લતા (IAS) - જિલ્લા વિકાસ અધિકારીશ્રી નવસારીએ અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. ચીખલી તાલુકામાં દેગામ ખાતે પરેશ દેસાઈ, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી,નવસારી, જલાલપોર તાલુકાના આટ ખાતે ધારાસભ્યશ્રી,જલાલપોર આર.સી.પટેલ, નવસારી તાલુકામાં ધારાસભ્યશ્રી નવસારી રાકેશ દેસાઈ, વાંસદા ઉનાઈ ખાતે ધારાસભ્યશ્રી,વાંસદા-ખેરગામ અનંત પટેલ, રૂમલા ખાતે બાબુભાઈ પાડવી, ...