Skip to main content

ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ: એકતાનું પ્રતીક, બિનહરીફ વરણીની પરંપરા.

ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ: એકતાનું પ્રતીક, બિનહરીફ વરણીની પરંપરા. આજના ઝડપી અને વિવાદાસ્પદ વિશ્વમાં, જ્યાં ચૂંટણીઓમાં હરીફાઈ અને વિવાદો સામાન્ય છે, ત્યાં ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘની બિનહરીફ વરણી એક પ્રેરણાદાયી ઉદાહરણ છે. 21 સપ્ટેમ્બર 2025ના રોજ, વાડ મુખ્ય પ્રાથમિક શાળામાં યોજાયેલી ચકાસણીમાં, તાલુકાના શિક્ષકોની સર્વસંમતિથી પસંદગી  થયેલ ઉમેદવારોને બિનહરીફ જાહેર કરવામાં આવ્યાં. આ ઘટના તાલુકાના શિક્ષકોની અદ્ભુત એકતા અને વિશ્વાસને દર્શાવે છે. સંઘની ચૂંટણી માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું, જેમાં ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 20 સપ્ટેમ્બર 2025ના રોજ 11 વાગ્યા સુધીની હતી. ચૂંટણી પંચે જણાવ્યું કે માત્ર  તાલુકાના પસંદગી પામેલ પાંચ ઉમેદવારોએ જ ફોર્મ જમા કરાવ્યા હતા, જેની ચકાસણીમાં તમામ ફોર્મ ક્ષતિરહિત જણાતાં, ચૂંટણી પંચના  ધર્મેશભાઈ મનુભાઈ પટેલ (અધ્યક્ષ, પહાડ ફળિયા પ્રાથમિક શાળા ખેરગામ), ધર્મેશભાઈ દેવાણી (સભ્ય ચીમનપાડા પ્રાથમિક શાળા), અનિલભાઈ પટેલ ( સભ્ય, તોરણ વેરા પ્રાથમિક શાળા, વિરેન્દ્રભાઈ પટેલ ( સભ્ય, નાંધઈ પ્રાથમિક શાળા) અને અમ્રતભાઈ પટેલ (સભ્...

Navsari : "વિકાસ સપ્તાહ" ઉજવણી અંતર્ગત એમ.એન.વિદ્યાલય બોર્ડીંગ સ્કુલ ખડસુપાની ભુતપૂર્વ વિદ્યાર્થીની અને 'લખપતી દીદી' એવી તેજલબેન મિસ્ત્રીએ પોતાની સફળતાની વાત રજુ કરી

 

વિકાસ ભારત સપ્તાહ વિશેષ: નવસારી જિલ્લો 

-

Navsari : "વિકાસ સપ્તાહ" ઉજવણી અંતર્ગત એમ.એન.વિદ્યાલય બોર્ડીંગ સ્કુલ ખડસુપાની ભુતપૂર્વ વિદ્યાર્થીની અને 'લખપતી દીદી' એવી તેજલબેન મિસ્ત્રીએ પોતાની સફળતાની વાત રજુ કરી 

-

સરકારશ્રી દ્વારા શરૂ કરવામા આવેલ મીશન મંગલમ યોજના દ્વારા અમારા જેવી અનેક બહેનો સખી મંડળમાં જોડાઇ અને આર્થીક રીતે પગભર બની છે.- તેજલબેન મિસ્ત્રી

-

"લખપતિ દીદી" યોજના માત્ર આર્થિક સ્વતંત્રતા પર જ નહીં, પરંતુ સમાજ અને રાષ્ટ્રના નિર્માણમાં મહિલાઓની સક્રિય ભાગીદારી પર ભાર મૂકે છે.

-

સંકલન-વૈશાલી પરમાર

નવસારી,તા.12: તાજેતરમાં "વિકાસ સપ્તાહ"ની ઉજવણી અન્વયે નવસારી જિલ્લાની ખડસુપા ગામે એમ.એન.વિદ્યાલય બોર્ડીંગ સ્કુલ ખાતે જિલ્લા ગ્રામ વિકાસ વિભાગ અને શિક્ષણ વિભાગના સંકલન હેઠળ મીશન મંગલમ યોજના અંતર્ગત 'લખપતી દિદિ' સેમીનારનું આયોજન કરાયું હતું. જેમાં એમ.એન.વિદ્યાલય બોર્ડીંગ સ્કુલ ખડસુપાની ભુતપૂર્વ વિદ્યાર્થીની અને નવસારી જિલ્લાની મહિલાઓ માટે પ્રેરણાદાયી 'લખપતી દીદી' એવી તેજલબેન મિસ્ત્રીએ પોતાની સફળતાની વાત રજુ કરી હતી. 


તેજલબેન પોતાની સફળતાની વાત રજુ કરતા જણાવ્યું હતું કે, છેલ્લા ૮ વર્ષથી હુ સખી મંડળમાં જોડાઇ છું. અમે ૧૦ બહેનો મળીને 'સત્યસાંઇ બચત જુથ' ચલાવીએ છે. ૮ વર્ષ પહેલા અમે ૫૦ રૂપિયા જેવી નાની રકમથી બચત કરવાની શરૂઆત કરી હતી. ત્યાર બાદ બેંક મારફત ઓછા વ્યાજ દરે લોન લઇ અમે દરેક બહેનો પોતાની આવડત અનુસાર અલગ અલગ વ્યવસાયમાં જોડાયા હતા. સખી મંડળ થકી અમને જે લોન મળી તેના કારણે અમે પગભર બની શક્યા અમારો વ્યવસાય આગળ વધારી શક્યા છે. 


તેજલબેન પોતે કલટરી અને નાના બાળકોના રેડીમેડ કપડાની નાનકડી દુકાન શરૂ કરી હતી. આ સાથે પોતે જ્યા ભણેલાએ શાળા-એમ.એન.વિદ્યાલય બોર્ડીંગ સ્કુલ ખડસુપા માટે બાળકોના યુનિફોર્મ વેચવાની શરૂઆત કરી હતી. આજે છેલ્લા ૪ વર્ષથી તેજલબેન ખડસુપા સ્કુલ સહિત અન્ય ૭ જેટલી સ્કુલ માટે યુનિફોર્મ વેચાણ કરે છે. આ સાથે પોતાની રેડીમેડ કપડાની દુકાનમાં બાળકો સહિત સ્ત્રીપુરુષોના રેડીમેડ કપડાનું વેચાણ પણ શરૂ કર્યું અને આજે છેલ્લા ૦૮ વર્ષથી તેજલબેન સફળતા પુર્વક પોતાની દુકાન ચલાવી રહ્યા છે. 


વધુમાં તેજલબેન સહિત તેઓના સખી મંડળની દરેક બહેનો આજે અલગ અલગ વ્યવસાય થકી આર્થીક રીતે પગભર બની પરિવાર અને જિલ્લા માટે ગર્વ લેવાનું કારણ બની છે એમ ઉમેરી તેજલબેને અંતે ખુબજ આત્મિયતાથી સરકારશ્રી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નવસારી અને વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો.


અત્રે ઉલ્લેખનિય છે કે, રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન (NRLM) યોજના અંતર્ગત ભારત સરકાર દ્વારા લખપતિ દીદી યોજના 15 ઓગસ્ટ, 2023 ના રોજ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા શરૂ કરવામાં આવી હતી. જે સમગ્ર ભારતમાં મહિલાઓને સશક્તિકરણ કરવાના હેતુથી મહત્વાકાંક્ષી પહેલ શરુ કરવામાં આવેલ છે. જે મુજબ અંદાજીત કુલ ૩ કરોડ સ્વ સહાય જૂથના બહેનોને આવરી લેવાનો લક્ષ્યાંક છે.


બોક્ષ: 

લખપતિ દીદી કોણ? 

-

'લખપતિ દીદી' એટલે એવી મહિલા કે જેની વાર્ષિક આવક ઓછામાં ઓછી રૂ.1,00,000 હોય જે પોતાની જરૂરિયાતો માટે પરિવારના અન્ય સભ્યો પર નિર્ભર ન હોય 


"લખપતિ દીદી" એટલે એવી મહિલા કે જેની વાર્ષિક આવક ઓછામાં ઓછી રૂ.1,00,000 (દર મહિને આશરે રૂ.8,300) હોય અને પોતાની જરૂરિયાતો માટે પરિવારના અન્ય સભ્યો પર નિર્ભર ન હોય. આ યોજના માત્ર આર્થિક સ્વતંત્રતા પર જ નહીં, પરંતુ સમાજ અને રાષ્ટ્રના નિર્માણમાં મહિલાઓની સક્રિય ભાગીદારી પર ભાર મૂકે છે.


લખપતિ દીદી યોજનાના ફાયદા:

• મહિલાઓને આર્થિક રીતે સ્વતંત્ર બનાવીને તેમના જીવનધોરણમાં સુધારો કરવો.

• નવા કૌશલ્યો શીખીને મહિલાઓ રોજગારીની વધુ તકો મેળવી શકે છે.

• સ્વરોજગાર શરૂ કરવા માંગતી મહિલાઓને નાણાકીય અને તાલીમ સહાય મળે છે.

• મહિલાઓને સમાજના વિકાસમાં સક્રિય ભૂમિકા ભજવવા માટે પ્રોત્સાહિત કરવા.


લખપતિ દીદી યોજનાના ઘટકો:

લોનમાં વ્યાજ સહાય: યોગ્યતા ધરાવતી મહિલાઓને રૂ.5 લાખ સુધીની લોનમાં ૭% સુધી વ્યાજ સહાય આપવામાં આવે છે. આ લોનનો ઉપયોગ સ્વરોજગાર શરૂ કરવા, વ્યવસાયને વિસ્તારવા અથવા કૌશલ્ય વિકાસ માટે કરી શકાય છે.


રોજગારલક્ષી તાલીમ: મહિલાઓને રોજગારીની તકો વધારવા માટે વિવિધ ક્ષેત્રોમાં મફત તાલીમ આપવામાં આવે છે.


વડાપ્રધાનશ્રી નેતૃત્વ અને માર્ગદર્શનમાં ગુજરાતની વર્ષ-૨૦૦૧ થી વર્ષ-૨૦૨૪ સુધીની ૨૩ વર્ષની સર્વગ્રાહી વૈશ્વિક વિકાસ યાત્રાની સફળતાની ગાથામાં નાગરિકોને જોડી ઓકટોબર-૨૦૨૪ની તા. ૦૭ થી તા.૧૫ દરમિયાન "વિકાસ સપ્તાહ" ઉજવણી કરાઇ રહી છે. જેમાં લખપતિ દીદી જેવા કાર્યક્રમો થકી અનેક 'લખપતી દિદિઓ' સરકારશ્રી અને વડાપ્રધાનશ્રીનો દિલથી આભાર વ્યક્ત કરી રહી છે. 

૦૦૦૦૦૦

#TeamNavsari

Gujarat InformationCMO GujaratCollector NavsariDdo Navsari









Comments

Popular posts from this blog

Khergam news : રાજ્યપાલશ્રી અને ધારાસભ્યશ્રી સાથે ખેરગામમાં નૂતન વર્ષની ઉજવણી.

 Khergam news : રાજ્યપાલશ્રી અને ધારાસભ્યશ્રી સાથે ખેરગામમાં નૂતન વર્ષની ઉજવણી.  "મહામહીમ રાજ્યપાલ શ્રી મંગુભાઈ પટેલે ખેરગામના કાર્યકર્તાઓને સમર્પણ અને રાષ્ટ્રસેવાના મંત્ર આપ્યા."  "શ્રી નરેશભાઈ પટેલે કાર્યકર્તાઓને શ્રદ્ધા અને વિશ્વાસ સાથે કાર્ય કરવાની પ્રેરણા આપી."  "નૂતન વર્ષમાં એકતા અને શાંતિના સંદેશ સાથે શ્રેષ્ઠ ભારતની સ્થાપનાનો સંકલ્પ." "પ્રફુલભાઈ શુકલ બાપુએ આધ્યાત્મિક જીવનના મૂલ્યોને અપનાવવાના મંત્ર પાઠવ્યા."  "ખેરગામમાં મહાનુભાવોની ઉપસ્થિતિથી કાર્યકર્તાઓમાં ઉમંગ અને ઉત્સાહનો વંટોળ." "મંગુભાઈ પટેલ સાહેબે ખેરગામના નૂતન વર્ષ કાર્યક્રમમાં સેવા અને સમર્પણનો સંદેશ આપ્યો." "ખેરગામમાં કાર્યકર્તાઓને આશીર્વાદ અને પ્રેરણાદાયક સંદેશ સાથે નવા વર્ષનો ઉત્સવ." "શ્રી મંગુભાઈ પટેલે ખેરગામના કાર્યકર્તાઓને નવું વર્ષ વધુ ઉત્સાહ અને ઉમંગ સાથે માણવાનો સંદેશ આપ્યો." મધ્ય પ્રદેશના રાજ્યપાલ આદરણીય શ્રી મંગુભાઈ પટેલ સાહેબે રામજી મંદિર, ખેરગામ ખાતે નૂતન વર્ષ નિમિત્તે કાર્યકર્તાઓ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી.  આ મુલાકાત દરમ્યાન...

Navsari : પોલિયો નાબૂદી અભિયાન અંતર્ગત નવસારી જિલ્લાના ૬૩૩ પોલિયો બૂથો પર ૧૦૨૯૯૧ બાળકોને પોલિયોની રસી પીવડાવવામાં આવી.

  Navsari : પોલિયો નાબૂદી અભિયાન અંતર્ગત નવસારી જિલ્લાના ૬૩૩ પોલિયો બૂથો પર ૧૦૨૯૯૧ બાળકોને પોલિયોની રસી પીવડાવવામાં આવી. નવસારી,તા.૨૪: પોલિયો નાબૂદી અભિયાન અંતર્ગત નવસારી જિલ્લામાં ગત તા.૨૩ જૂન, પોલિયો રવિવાર થી તા.૨૫ જૂન એમ ત્રણ દિવસો દરમ્યાન ૦ થી ૫ સુધીના બાળકોને પોલિયોના બે ટીપાં પીવડાવી પોલિયોથી સુરક્ષિત કરવાનું અભિયાનની શરૂઆત કરવામાં આવેલ હતું. જે અંતર્ગત તા.૨૩ જૂનના રોજ જિલ્લાના ૬૩૩ પોલિયો બૂથો પર ૧૦૨૯૯૧ બાળકોને પોલિયોની રસી પીવડાવવામાં આવી હતી.  નવસારી જિલ્લામાં અનેક સ્થળોએ લોક પ્રતિનીધિઓ તથા અધિકારીશ્રીઓ દ્વારા આ ઝુંબેશનું ઉદ્દઘાટન કરી લોકોને ૦ થી ૫ વર્ષના બાળકોને પોલિયોની રસી પીવડાવવા પ્રેરિત કર્યા હતા. નવસારી જિલ્લાના કાર્યક્રમમાં પુષ્પ લતા (IAS) - જિલ્લા વિકાસ અધિકારીશ્રી નવસારીએ અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. ચીખલી તાલુકામાં દેગામ ખાતે પરેશ દેસાઈ, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી,નવસારી, જલાલપોર તાલુકાના આટ ખાતે ધારાસભ્યશ્રી,જલાલપોર આર.સી.પટેલ, નવસારી તાલુકામાં ધારાસભ્યશ્રી નવસારી રાકેશ દેસાઈ, વાંસદા ઉનાઈ ખાતે ધારાસભ્યશ્રી,વાંસદા-ખેરગામ અનંત પટેલ, રૂમલા ખાતે બાબુભાઈ પાડવી, ...

Navsari : નવસારી ખાતે આદિજાતિ રાજ્ય મંત્રીશ્રી કુંવરજીભાઇ હળપતિના અધ્યક્ષસ્થાને ૭૮ મા સ્વાતંત્ર્ય દિવસની આન, બાન, શાન સાથે ઉજવણી

Navsari : નવસારી ખાતે આદિજાતિ રાજ્ય મંત્રીશ્રી કુંવરજીભાઇ હળપતિના અધ્યક્ષસ્થાને ૭૮ મા સ્વાતંત્ર્ય દિવસની આન, બાન, શાન સાથે ઉજવણી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની દીર્ઘદ્રષ્ટિથી આજે સૌ કોઈ વિકાસની મુખ્યધારામાં આવી રહ્યા છે. ---- ‘વિકસિત ભારત ૨૦૪૭’ ના સંકલ્પને સાકાર કરવાના પથ પર ગુજરાત મક્કમતાથી આગળ વધી રહ્યું છે. ----- વન બંધુ કલ્યાણ યોજના તથા અન્ય વિવિધ  કલ્યાણકારી યોજનાઓ થકી આદિજાતિ પરિવારોને સર્વાંગી વિકાસ થયો છે .}} - આદિજાતિ રાજ્ય મંત્રીશ્રી કુંવરજીભાઇ હળપતિ  * વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિની સાંસ્કૃતિક કૃતિઓની ઉર્જાવાન પ્રસ્તુતિ કરાઈ * નવસારી જિલ્લાના વિકાસ અર્થે રૂા.૨૫ લાખનો ચેક અર્પણ કરતા આદિજાતિ મંત્રીશ્રી કુંવરજીભાઇ હળપતિ  (નવસારી/ ગુરુવાર) આજે ભારતના  ૭૮ મા સ્વાતંત્ર્યપર્વની  ઠેર-ઠેર ભારે હર્ષોલ્લાસ, ઉમંગ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. નવસારી જિલ્લા કક્ષાની ઉજવણી નવસારી સ્થિત સાંઈ ગરબા ગ્રાઉન્ડ  ખાતે રાજ્યકક્ષાના આદિજાતિ અને ગ્રામવિકાસ મંત્રીશ્રી કુંવરજીભાઇ હળપતિના અધ્યક્ષસ્થાને ભારે ઉમંગ-ઉત્સાહ સાથે યોજાઈ હતી. મંત્રીશ્રી કુંવરજીભાઇ હળપતિએ રાષ્ટ્ર ભ...